સંતરામપુરમાં શ્રીજીની સ્થાપિત મૂર્તિઓ ભકિતભાવ સાથે વિર્સજીત કરાયુંં

સંતરામપુર, સંતરામપુર નગરમાં દુધાળા દેવોની ભાવો ભાવ વિદાય અપાઈ. સંતરામપુર નગરમાં અલગ અલગ વિસ્તારમાં દુધાળા દેવોની દિવસ સુધી સ્થાપના કરીને પૂજા-અર્ચના આરતી કર્યા પછી આજરોજ અલગ અલગ વિસ્તારો માંથી ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગણપતિની વિસર્જન માટે શોભાયાત્રા કાઢીને મોટી સંખ્યામાં ડીજેના તાલ સાથે બાપા મોરિયાના નારા સાથે સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું. મહુડી ફળિયાની અલખ ગ્રુપની સૌથી મોટી મૂર્તિ આકર્ત કેન્દ્ર બનાવ્યું હતું. જ્યારે ટેકરી કા રાજા મહાકાળી યુવક મંડળ દ્વારા એક સાથે ટેકરી રાજા વિવિધ મંડળો દ્વારા મોટી સંખ્યામાં વિસર્જન માટે એક સાથે વરઘોડો કાઢવામાં આવેલો હતો. જ્યારે મહીસાગર ડિવાઇસપી અને સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન પૂર્ણ કરવામાં આવેલું હતું. ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન એક સાથે બે તહેવારો પૂર્ણ થતા મહીસાગર અને સંતરામપુર પોલીસ વિભાગ અને પીઆઇ હાસકારો લીધો હતો.