સંતરામપુર ગોધરા ભાગોળમાં નડતરરૂપ વીજ પોલ ખસેડવાની કામગીરી હાથ ધરી

સંતરામપુર , સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નડતરરૂપ વીજપોલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ઘણાં સમયથી નડતરરૂપ વીજપોલના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી અને આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. રોડની બાજુમાં વર્ષો પહેલાં નાખવામાં આવેલા વીજ પોલને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ પોલીસ પ્રોટકશન સાથે MGVCLના એન્જિનિયર અને સ્ટાફની ટીમ દ્વારા આજુબાજુના કેબિનોને હાથ લારીઓ ખસેડીને વીજ પુલ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. અલગ અલગ પ્રકારના સંતરામપુર નગર માંથી આશરે 10 જેટલા વીજ પોલો દૂર કરવામાં આવેલા હતા. આ વીજ પોલ ખસેડવાથી મોટાભાગની ટ્રાફિક થતી સમસ્યાઓ કાયમી ધોરણે ટ્રાફિકનો પ્રશ્ર્ન હોય પણ થઈ જશે. દિવસભર સંતરામપુર નગરમાં એમવી જીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.