સંજેલીના મોલી ગામે નલ સે જલ યોજનાની કામગીરી અધુરી છોડી દેવાતાં પટેલ ફળીયાના લોકોને પાણી માટે વલખાં

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના મોલી પંચાયતમાં આઠ જેટલા ફળિયા આવેલા છે. જેમાં 3,000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. મોલીમાં નલ સે જલ યોજનાનો કામો અધૂરા છોડી દેવામાં આવ્યા છે અને અમુક જગ્યાએ કામ પૂર્ણ કર્યા પણ ત્યાં પાણી આવતું નથી. સરકાર કરોડો રૂપિયા ફાળવી ખર્ચો કરીને ઘરે ઘરે સુધી પાણી આપવા માટે આ સરકારી યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. લે ભાગુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પ્રમાણમાં કામગીરી કરવામાં આવતી નથી અધુરી કામગીરી છોડીને જતા રહેતા હોય છે. વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તો આ કાયમ માટેનો પ્રશ્ર્ન હલ થઈ શકે છે. હાલ મોટાભાગના કુવા બોરમાં પાણીના તર બહુ નીચે ઉતરી ગયા છે અને પાણી ન મળવાથી મોલી ગામના પટેલ ફળિયામાં વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને વેચાતું પાણી લેવાનું વારો આવ્યો છે. વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપવા માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.