
રાજકોટના અગ્નિકાંડના બનાવ બાદ ટીપીઓ સાગઠિયાના કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે.જેમાં અગ્નિકાંડ બાદ હવે સાગઠિયાનું જમીન કૌભાંડ પણ બહાર આવ્યું છે. જેને પગલે સાગઠિયાની દશા બેઠી હોય તેમ જણાઈ રહ્યું તપાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી હોવાનું જણાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદાજે ૧૬ કરોડ રૂપિયાની કિંમતની જમીન બિલ્ડરને આપી દીધી હોવાનું કહેવાય છે. બિલ્ડરને આ જમીન પધારવવાના મામલે સૌરાષ્ટ્ર યુનિવસટી દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પરણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
૫૫ વર્ષ પહેલા કલેકટરે જમીન યુનિવસટીને ફાળવી હતી. પરંતુ ટીપીઓ સાગઠિયાએ આ જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કલંક્તિ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા દ્વારા સંચિત કરાયેલી અપ્રમાણસર મિલક્તો જો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કંઈપણ આગળ વધવાની ધારણા છે . અગાઉ તેના ભાઈની ઓફિસમાંથી કુલ રૂ. ૧૮ કરોડની કિંમતનું સોનું, ચાંદી, હીરા અને અન્ય કીમતી ચીજવસ્તુઓ રિકવર કર્યા બાદ, ભ્રષ્ટાચાર નિરીક્ષકને જાણવા મળ્યું છે કે સાગઠિયા પાસે પેટ્રોલ પંપ , ખેતીની જમીન અને અન્ય સ્થાવર મિલક્તો પણ તેમના જીવનસાથીના નામે નોંધાયેલી છે.