
રાયપુર,
રાયપુર કોંગ્રેસનું ૨૪મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલું રાયપુર અધિવેશન પક્ષને નવી દિશા આપવામાં મહત્ત્વનો પડાવ સાબિત થઇ શકે છે. આ અધિવેશનના બીજા દિવસે કોંગ્રેસનો રાજકીય પ્રસ્તાવ આવશે, જેમાં મુખ્યત્વે ભાજપના કથિત રાષ્ટ્રવાદ અને આક્રમક રાજકારણ પર પ્રહાર કરાશે. આ અધિવેશન પહેલા કોંગ્રેસ થિંક ટેક્ધ દિલ્હીમાં આ અંગે વિચારવિમર્શ કરી રહી છે કે, કઇ રીતે ભાજપના રાજકારણનો સામનો થઇ શકે. આ કડીમાં કોંગ્રેસ હવે હાથથી હાથને જોડોનો નારો આપીને સમગ્ર દેશમાં નવા રૂપમાં તેમના રાજકારણને આગળ વધારશે. તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આગામી પગલું પણ હશે.

મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર કોંગ્રેસનું સંપૂર્ણ અધિવેશન થવા જઇ રહ્યું છે. તેમાં મુખ્યત્વે આથક વિષમતાઓ, સામાજિક ધ્રુવીકરણ અને ભાજપની રાજકીય સરમુખત્યારશાહી જેવા વિષયની ચર્ચા થશે. હિન્ડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી મામલો જે રીતે સામે આવ્યો છે, તે કોંગ્રેસ માટે મોટું હથિયાર સાબિત થઇ રહ્યો છે. આ મામલે સમગ્ર દેશમાં અભિયાન ચલાવીને મોદી સરકારનો જવાબ માંગવાનો પ્રસ્તાવ પણ પસાર થઇ શકે છે. મહિલાઓને એક તૃતિયાંશ ટિકિટ આપવાનો પણ વિચાર: કોંગ્રેસ મહિલાઓને તેમની સાથે જોડવા બંધારણમાં ફેરફાર કરી શકે છે. તેમાં ચૂંટણીમાં મહિલાઓને એક તૃતિયાંશ ટિકિટ આપવાનો પણ વિચાર થઇ રહ્યો છે. આ અંગે રાયપુર અધિવેશનમાં અંતિમ નિર્ણય લેવાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીએ આ વ્યૂહનીતિ અપનાવી હતી. તેમણે નારો આપ્યો હતો કે, ‘હું મહિલા છું, લડી શકું છું.’
તેનું રાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરણ કરવાનો મુદ્દો પણ અધિવેશનમાં ચર્ચાઇ શકે છે. કોંગ્રેસ કાર્યસમિતિનું નવું સ્વરૂપ નક્કી થઇ શકે છે: રાયપુર અધિવેશનમાં કાર્યસમિતિનું નવું સ્વરૂપ આવી શકે છે. પહેલા પણ આશંકા વ્યક્ત કરાઇ હતી કે, કાર્યસમિતિ માટે ચૂંટણીની નોબત આવશે, પરંતુ હવે તેની શક્યતાનો ઇનકાર કરાઇ રહ્યો છે. એટલે કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં નવી કાર્યસમિતિ માટે સર્વસંમતિથી જ નામ પસંદ કરાશે તેવા સંકેત છે.