રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા : ત્રીજો દિવસ : PM મોદીએ શ્રીરામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી.

અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ગુરુવારે ત્રીજો દિવસ છે. આજે ગર્ભગૃહમાં બપોરે રામલલ્લાની મૂર્તિની ​​​​​​સ્થાપના રામયંત્ર પર કરવામાં આવશે.

અગાઉ 17 જાન્યુઆરીએ, ગર્ભગૃહમાં સ્થાપિત થનારી 200 કિલો વજનની રામલલાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન, મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવાની હતી, પરંતુ તે ભારે હોવાને કારણે, રામલલ્લાની 10 કિલો ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી હાજર રહેશે. જ્યારે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ અયોધ્યા અને આસપાસના વિસ્તારોના હવામાન વિશે માહિતી માટે એક નવું વેબપેજ બનાવ્યું છે.

મોદીએ 6 ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ, ગણેશ, હનુમાનજી, માતા શબરીની ટિકિટ સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે PMએ વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલી ટિકિટોની બુકનું પણ વિમોચન કર્યું. મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી છે. જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાનજી, જટાયુ, કેવટરાજ અને માતા શબરીની ટપાલ ટિકિટ સામેલ છે.