રાહુલે વડાપ્રધાન પર ધર્મ અને જાતિના નામે દેશને તોડવાનો આરોપ લગાવ્યો

નવીદિલ્હી, રાહુલગાંધી ૨ વર્ષ બાદ અમેઠી પહોંચી રહ્યા છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં તેઓ અહીંથી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ તેમને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લાલગંજ પહોંચી છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય, સાંસદ ઈમરાન પ્રતાપગઢી, પ્રમોદ તિવારી, આરાધના મિશ્રા રાહુલ ગાંધી સાથે જીપ પર બેઠા હતા. રાહુલે કહ્યું કે, જનતા સાથે સીધો સંવાદ કરતાં હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતને અખંડ રાખવા માટે નિર્ભય સંઘર્ષ ચાલુ રાખીશ. રાહુલે ED અને અન્ય એજન્સીઓને સરકારની કઠપૂતળી ગણાવી હતી. રાહુલે કહ્યું કે, ભાજપ અને આરએસએસ દેશમાં નફરત ફેલાવી રહ્યા છે, એક ધર્મને બીજા ધર્મ સાથે અને જાતિને જ્ઞાતિ વિરુદ્ધ લડાવે છે.

રાહુલે કહ્યું, ભારતના ૭૩% બહાદુર સિંહો આજે સૂઈ રહ્યા છે, તેઓ ડરી ગયા છે. આ દેશનું સત્ય છે. ૭૩% લોકો કહેતા રહે છે કે આવું ન થવું જોઈએ, પરંતુ અદાણી અને નરેન્દ્ર મોદી નક્કી કરશે તો થશે. દેશના ૭૩% લોકો શું ઈચ્છે છે તેની તેમને કોઈ પરવા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારમાં સામાન્ય જનતાનું યાન હટાવીને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢવામાં આવી રહ્યા છે. તેણે એક વ્યક્તિને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ધારો કે લોકોએ તેના ખિસ્સા ભરવાનું મન બનાવી લીધું છે. તો તેઓ તેને કહેશે કે ત્યાં જુઓ પાકિસ્તાન, ત્યાં જુઓ અમિતાભ બચ્ચન, ત્યાં જુઓ ઐશ્ર્વર્યા રાય અને તેમનું ખિસ્સું કપાઈ જશે. પિકપોકેટનું નામ અદાણી છે.