
નવીદિલ્હી,
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે સંસદની કાર્યવાહીમાં સામેલ થયા હતા. રાહુલે લંડનમાં તેમના નિવેદનને લઈને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ’હું લંડનમાં ભારતની વિરુદ્ધ કંઈ બોલ્યો જ નથી. જો સંસદમાં બોલવાની તક મળે તો હું મારી વાત રાખીશ.’ આગળ તેમણે વધુમાં કહ્યું હતું કે ’મારું બોલવું ભાજપને પસંદ નથી આવતું.’
આની પહેલાં ગુરુવારે સવારે ૧૧ વાગે સાંસદની કાર્યવાહી શરૂ થતાં જ બન્ને સદનોને ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાયાં હતાં. બપોરે ફરી કાર્યવાહી શરૂ થવા પર હંગામો થતાં બન્ને સદનોને આખા દિવસ માટે ફરી સ્થગિત કરી દેવાયાં હતાં.આની પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે ’જો રાહુલ ગાંધી કંઈ બોલે છે, તો તેમના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધે છે, તો આ મામલે અમે કંઈ ના કરી શકીએ. પરંતુ જો તેઓ દેશનું અપમાન કરશે, તો એક ભારતીય હોવાથી અમે ચૂપ નહીં રહીએ.’ તેમણે રાહુલને આ મામલે માફી માંગે તેવી પણ માંગ કરી હતી.આના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ’આની પહેલાં પણ ઘણીવાર મોદીએ વિદેશ જઈને દેશની વિરુદ્ધ બોલ્યા છે. ત્યારે એવો સવાલ જ ઊભો નથી થતો કે રાહુલ પોતાના નિવેદનને લઈને માફી માગે.’
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ’રાહુલજીએ લંડનમાં એવું તે શું કહી દીધું કે તેમણે ભારતમાં નથી કહ્યું. પીએમ ખુદ પણ પાછલી સરકારો લઈને કહ્યું છે કે પહેલા ભારતમાં તેમને જન્મ લેવામાં શરમ આવતી હતી. શું આ દેશની ઇજ્જત કાઢી ગણાય નહીં? આ આખો મુદ્દો અદાણી મામલે સંસદીય કમિટીની રચના માટે ચર્ચાઓથી બચવા માટે છે.’પવન ખેરાએ કહ્યું હતું કે ’જ્યારે પણ કોંગ્રેસ અદાણી મુદ્દે પાર્લામેન્ટ્રી કમિટી બનાવવાની માગ કરે છે, તો ધ્યાન ભટકાવવા માટે ભાજપ સત્ર સ્થગિત કરી દે છે. ભાજપને ડર છે કે ક્યાંક સદનમાં કોઈ અદાણીનું નામ ના લઈ લે.’
ચોથા દિવસના સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં અમુક મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર, કિરણ રિજિજૂ અને પ્રહ્રાદ જોશી સામેલ છે. તો, સમાન વિચારધારા ધરાવનાર વિપક્ષી દળોના નેતા મલ્લિકાર્જુન ખડગેના ઑફિસમાં મિટિંગમાં સામેલ થયા હતા.
સંસદના ત્રીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાહુલ અને અદાણી મુદ્દે ખૂબ જ ટકરાવ થયો હતો. ભાજપે જ્યાં એકવાર ફરી લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને માફી માંગે તેવી માંગ કરી હતી. તો કોંગ્રેસ અને વિપક્ષી દળોએ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટની પાસેથી તપાસની માંગને લઈને હંગામો ઊભો કર્યો હતો.અંતે હંગામાના કારણે બન્ને સદનોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. ૨ વાગે કાર્યવાહી ફરી શરૂ થઈ હતી અને ફરી હંગામો થયો હતો. આ પછી બન્ને સદનોને ગુરુવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી. સત્ર સ્થગિત થતાં જ બધા જ માર્ચ પર નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને ઇડી ઑફિસથી અઢી કિલોમીટર દૂર વિજય ચોક પર જ રોકી દીધા હતા. સાંસદ ઇડી ઑફિસ ના જઈ શક્યા. અંદાજે ૨૫ મિનિટ સુધી વિજય ચોક પર જ પ્રદર્શન કર્યા પછી બધા નેતા સંસદ તરફ પરત ફર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ’સરકારે ૨૦૦ સાંસદોને રોકવા માટે ૨ હજાર પોલીસકર્મીઓને લગાવ્યા હતા. તેઓ વાત લોક્તંત્રની કરે છે, પરંતુ અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ રોકવામાં આવે છે. અમે તો માત્ર ઇડીની ઑફિસ જઈને અદાણી મામલે ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન માટે ફરિયાદ ચિઠ્ઠી દેવા માગતા હતા. અમને રોકવું તે કયું લોક્તંત્ર છે!’ પ્રદર્શનમાં શરદ પવારની દ્ગઝ્રઁ અને મમતા બેનર્જીની ના સાંસદ સામેલ થયા નહોતા. સંસદ જ્યારે બે વાગે ફરી શરૂ થયું તો ફરી એકવાર આ જ મુદ્દાઓ પર હંગામો શરૂ થઈ ગયો હતો. ત્યારે આ સતત ત્રીજા દિવસે રાજ્યસભા અને લોક્સભા ગુરુવાર સવાર ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.મમતા બેનર્જીના સાંસદોએ મોંઘવારી અંગે ગાંધી પ્રતિમા સામે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
અદાણી મામલે અને ઇડીની કાર્યવાહીને લઈને મમતા બેનર્જીની પાર્ટી સાંસદ કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળોથી અલગ પ્રદર્શન કરી રહ્યા હતા. આના પર સાંસદ સુદીપ બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે સત્તા પક્ષ હોય કે મુખ્ય વિપક્ષી દળ, બન્ને એકબીજાની વિરુદ્ધ છે. બંગાળમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ અને ઝ્રઁસ્ની સાથે મળી ગઈ છે. એટલે જ અમે કોંગ્રેસ નેતાઓએ બોલાવેલી બેઠકમાં સામેલ થયા નહોતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધીની હાજરીમાં મંગળવારે સવાલ ઉઠાવ્યો હતો. બુધવારે એવા સમાચર આવ્યા કે રાહુલ વિદેશથી પરત ફર્યા છે. થોડીવાર પછી રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એકવાર ફરી અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલે લખ્યું હતું કે ’ભારતની મિસાઇલ અને રડાર અપગ્રેડ કોન્ટ્રેક્ટ અદાણીની માલિકીનું કંપની અને ઇલારા નામની એક સંદિગ્ધ વિદેશી સંસ્થાને આપી છે. ઇલારાને કોણ કેન્ટ્રોલ કરે છે? અજાણી વિદેશી કંપનીઓને ભારતના રણનૈતિક રક્ષા ઉપરકરણોના નિયંત્રણ દઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યા છે?’