રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં લેક્ચર આપ્યું,આપણે એવી દુનિયાની કલ્પના કરી શક્તા નથી જ્યાં લોક્તાંત્રિક પ્રણાલીઓ ન હોય.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં   લોકશાહી પ્રણાલી માટે નવી વિચારસરણીનું આહ્વાન કર્યું. તેમણે લેકચરમાં કહ્યું આપણે એવી દુનિયાની કલ્પના કરી શક્તા નથી જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. વિશ્ર્વમાં લોકશાહી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે એક નવી વિચારસરણી માટે આહવાન કર્યું ,વિચારો લાદવા ન જોઇએ. ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)માં વિઝિટિંગ ફેલો છે. યુનિવર્સિટીમાં  ’૨૧મી સદીમાં સાંભળવાનું શીખવું’ વિષય પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, ‘આપણે એવી દુનિયાની કલ્પના કરી શક્તા નથી જ્યાં લોક્તાંત્રિક પ્રણાલીઓ ન હોય.’ તેમણે કહ્યું, ‘તેથી, આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા પર્યાવરણ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.

તાજેતરના વર્ષોમાં ભારત અને યુ.એસ. જેવા લોકશાહી દેશોમાં ઉત્પાદન ક્ષેત્રે થયેલા ઘટાડાનો ઉલ્લેખ કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે આ પરિવર્તનને કારણે મોટા પાયે અસમાનતા અને નારાજગી આવી છે, જેના પર તાત્કાલિક ધ્યાન અને સંવાદની જરૂર છે. તેમણે કહ્યું કે ‘સાંભળવાની કળા’ ખૂબ શક્તિશાળી છે. ગાંધીએ કહ્યું કે વિશ્ર્વમાં લોક્તાંત્રિક પ્રણાલીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વ્યાખ્યાનને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તેની શરૂઆત ‘ભારત જોડો યાત્રા’ના ઉલ્લેખથી થઈ હતી. ગાંધીએ સપ્ટેમ્બર ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી લગભગ ૪,૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી અને આ યાત્રા ભારતના ૧૨ રાજ્યોમાંથી પસાર થઈ હતી. વ્યાખ્યાનનો બીજો ભાગ બીજા વિશ્ર્વયુદ્ધ પછી ખાસ કરીને ૧૯૯૧માં સોવિયેત યુનિયનના વિઘટન પછી યુએસ અને ચીનના ‘અભિગમમાં તફાવત’ પર કેન્દ્રિત હતો.

ગાંધીએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબૂદ કરવા ઉપરાંત, યુએસએ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના આતંકવાદી હુમલા પછી તેના દરવાજા ઓછા ખોલ્યા હતા, જ્યારે ચીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આસપાસના સંગઠનો દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પ્રવચનના છેલ્લા તબક્કાનો વિષય ‘વૈશ્ર્વિક સંવાદની અનિવાર્યતા’ હતો.તેમણે જુદા જુદા દૃષ્ટિકોણને અપનાવવાની નવી રીતોને બોલાવવા માટે વિવિધ પરિમાણોને એક્સાથે વણાટ કરવાનો પ્રયાસ કર્યો.