પુતિનને સતાવે છે હત્યાનો ડર! બચવા માટે ગુપ્ત ટ્રેન અને માર્ગનો ઉપયોગ કરે છે

મોસ્કો,યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની હત્યાથી ચિંતિત છે. એક રિપોર્ટ અનુસાર, તે પોતાનો જીવ બચાવવા માટે ગુ ટ્રેન અને ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાની ફેડરલ સિકયુરિટી સર્વિસના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે રશિયન રાષ્ટર્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે લેવામાં આવેલા તમામ પગલાં વિશે માહિતી આપી છે.

બ્રિટિશ દૈનિક ધ ગાડયનના અહેવાલ મુજબ, કારાકુલોવે ગુ ટ્રેન નેટવર્ક વિશે જણાવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલગ અલગ શહેરોમાં સમાન ઓફિસ છે. તેઓ તેમના ઠેકાણા છુપાવવા માટે ગુ ટ્રેન નેટવર્કનો ઉપયોગ કરે છે. ગ્લેબ કારાકુલોવે રાજકીય માહિતી સંસ્થા ડોઝિયર સેન્ટર સાથેની મુલાકાતમાં પુતિન સાથે જોડાયેલી માહિતી આપી હતી. રશિયન અબજોપતિ મિખાઇલ ખોડોરકોવસ્કીએ ડોઝિયર સેન્ટરની સ્થાપના કરી છે. તે જ સમયે, કારાકુલોવે પુતિનના ગુપ્ત ટ્રેન નેટવર્કના અસ્તિત્વની પુષ્ટ્રિ કરી. ગ્લેબ કારાકુલોવે અગાઉ પુતિનના કેટલાક સૌથી ગુ સંદેશાઓ પહોંચાડવામાં મદદ કરી છે.

રશિયાની ફેડરલ સિકયુરિટી સર્વિસના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે પુતિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા હતા. તેણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પોતાના જીવ માટે ડરે છે. રશિયન રાષ્ટ્રપતિ ના વિદેશ પ્રવાસમાં ફાયર ફાઈટર, ફડ ટેસ્ટર અને એન્જિનિયર સામેલ છે.

કારાકુલોવે તેમની સુરક્ષા સેવાઓના અહેવાલો પર પુતિનની નિર્ભરતા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે પુતિન મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. ૨૦૨૦ માં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, પુતિનના વર્તન અને જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે.ત્યારબાદ પુતિને લગભગ તમામ મુસાફરી અને જાહેર સ્થળોએ જવાનું બધં કરી દીધું. કારાકુલોવના જણાવ્યા અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ ની સેન્ટ પીટર્સબર્ગ, સોચી અને નોવો-ઓગાર્યેાવોમાં ઓફિસ છે. પુતિનની ગુપ્ત સેવાઓ વિદેશી ગુચરોથી તેમની પ્રવૃત્તિઓ છુપાવવા અને કોઈપણ હત્યાના પ્રયાસોને રોકવા માટે નકલી મોટરસાયકલ અને વિમાનોનો ઉપયોગ કરે છે.

કારાકુલોવે પુષ્ટ્રિ આપી કે પુતિને પોતાની જાતને વિવિધ વસ્તુઓથી ઘેરી લીધી છે. યારે પણ પુતિન કયાંક જાય છે, ત્યારે તેઓ તેમની સાથે અંગત સંપર્ક ધરાવતા લોકોની સંખ્યાને ખૂબ મર્યાદિત કરે છે.