પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ

નવીદિલ્હી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની તબિયત લથડતા તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સારવાર બાદ આજે તેમને રજા આપવામાં આવી છે.

આ પહેલા ૧૬ ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી આપી હતી. તેણીએ પોસ્ટ કર્યું હતું મને સારું લાગતાં જ હું પ્રવાસમાં જોડાઈશ. ત્યાં સુધી, હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ પ્રવાસીઓને, મારા સહકર્મીઓ અને ઉત્તર પ્રદેશના પ્રિય ભાઈને શુભેચ્છા પાઠવું છું જેઓ સફરની ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છે.’