પોલીસ સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

નડિયાદ, સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) દ્વારા સ્વામીનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહની અધ્યક્ષતામાં બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર માટે પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આંગણવાડી બહેનોની કામગીરી બિરદાવતા નગરપાલિકા પ્રમુખએ જણાવ્યું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેકટ પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આંકલન આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે. બાળકના જન્મથી લઇ 6 વર્ષનો સમયગાળો તેના વિકાસ માટે ખુબ મહત્વનો હોય છે. આંગણવાડીમાં બાળકોના વિકાસના તમામ પાસાઓનું અવલોકન દર ત્રણ મહીને કરી વાલીને તે અંગે માહિતગાર કરી બાળકના સર્વાંગી વિકાસની જાણકારી આંગણવાડીની બહેનો વાલીઓને આપે છે.

પોલીસ જીલ્લાના શિક્ષણવિદ હિતેષભાઇ બ્રહ્મભટ્ટ અને બિરેનભાઇ પટેલ દ્વારા બાળકોને શા માટે આંગણવાડી મોકલવા જોઇએ આંગણવાડીથી થતા બાળકોના વિકાસમાં કેવી અસર પડે છે. આંગણવાડીમાં જવાથી તેમના શિક્ષણ પર કેવી અસર રહે છે, તેના વિશે રસપ્રદ ઉદાહરણ દ્વારા વાલીઓને ખ્યાલ આપ્યો હતો. તેમજ વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. સાથોસાથ બધિર વિધાલયના પ્રિન્સીપાલ પ્રજ્ઞાબેન દ્વારા દ્વારા નવજાત શિશુની કાનમાં સાભળવાની તપાસ અંગે વાલીઓને ખ્યાલ આપ્યો હતો અને જો બાળકોને સાંભળવામાં કોઇ ખામી લાગે તો કેવા પગલા લેવા તે અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકા ગ્રૃપ ડાંસ પરફોર્મન્સ તથા એકપાત્રિય અભિનય રજુ કરવામાં આવ્યા હતાં. તેમજ ટીએલએમ સ્ટાફ દ્વારા 15 જેટલા નાના બાળકો માટે લર્નીંગ એકઝીબીશન તૈયાર કરવામા આવ્યા હતા. તેમજ સ્ટેજ પર ડાંસ પરફોર્મન્સ કરનારા તમામ બાળકોને ઇનામ આપી સન્માન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, અગ્રણી નલીનીબેન પટેલ, પોલીસ જીલ્લા નાયબ વિકાસ અધિકારી ક્રિષ્નાબેન ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફીસર મનીષાબેન બારોટ, બધીર વિધાલયના આચાર્ય પ્રજ્ઞાબેન તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.