વડાપ્રધાનનો પાકિસ્તાન પર આડકતરો પ્રહાર : કહ્યું- અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય તેની ખાતરી કરવી જરૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે અફઘાનિસ્તાન અને કોરોના પર વાત કરી.તેમણે આડકતરી રીતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા અને પાકિસ્તાનને ઈશારા – ઇશારમાં સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે રિગ્રેસિવ વિચારસરણી સાથે ઉપયોગ કરી રહ્યા છે, તેઓએ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે સમાન મોટો ખતરો છે. તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. આપણે સાવચેત રહેવું જોઈએ કે કોઈ ત્યાંની પરિસ્થિતિઓનો પોતાના માટે લાભ લેવાનો પ્રયાસ ન કરે. આ સમયે અફઘાનિસ્તાનના લોકો, અફઘાનિસ્તાનની મહિલાઓ, બાળકો અને લઘુમતીઓને આપણી મદદની જરૂર છે અને આપણે આપણી જવાબદારી નિભાવવાની છે.

ભાષણની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું, “અબ્દુલ્લા શાહિદજી (માલદીવના વિદેશ મંત્રી)ને અધ્યક્ષ બનવા બદલ અભિનંદન. તમારું અધ્યક્ષ બનવું તમામ વિકાસશીલ દેશો માટે ખાસ કરીને નાના વિકાસશીલ દેશો માટે ગૌરવની વાત છે. છેલ્લા 1.5 વર્ષથી, આખું વિશ્વ સો વર્ષમાં સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવા ભયંકર રોગચાળામાં જીવ ગુમાવનારાઓને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરું છું કે જેને મધર ઓફ ડ્રેમોકેસીનું ગૌરવ છે. લોકશાહીની આપણી હજારો વર્ષ જૂની પરંપરા. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. ડઝનેક ભાષાઓ ધરાવતો દેશ. ત્યાં સેંકડો બોલીઓ, વિવિધ જીવનશૈલી અને વાનગીઓ છે. વાઇબ્રન્ટ લોકશાહીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. તે ભારતના લોકતંત્રની તાકાત છે કે એક નાનું બાળક જેણે એક વખત રેલવે સ્ટેશનના ટી-સ્ટોલ પર તેના પિતાની મદદ કરી હતી. તેઓ ભારતના વડાપ્રધાન તરીકે આજે ચોથી વખત UNGA ને સંબોધિત કરી રહ્યા છે

Don`t copy text!