- ગ્રામ્ય,તાલુકા અને જીલ્લા લેવલે e KYCથઇ શકશે.
ગોધરા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે. આથી જે લાભાથીઓને 15મો હપ્તો મળેલ ન હોય તો 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે. સરકાર દ્વારા તા.12 થી 21 ફેબ્રુઆરી, 2024 દરમ્યાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી e KYC માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેથી જેનુ ઈ-કેવાયસી બાકી છે. તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ / નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી), તેમજ જીલ્લા કક્ષાએ જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e KYC કરાવી શકશે.
વધુમાં ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PMકિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ઓટીપીનો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈન્કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા પણ સરળતાથી જાતે જ e KYC કરી શકે છે, તેવું જીલ્લા ખેતીવાડી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.