પીએમ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા.

બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતેવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા.

આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, ટીમ્બર્સ એસોસિએશનના પ્રમુખ, શાળા આચાર્ય જીતેન્દ્ર રચેતા, વન વિભાગના કર્મચારીઓ, શિક્ષકો વિદ્યાર્થીઓ, સહિત સમગ્ર શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.