પાવાગઢ યાત્રાધામ ડુંગર વાદળોથી ઢંકાઈ જતાં આહલાદક દ્દશ્યો સર્જાયા

પાવાગઢ,

પંચમહાલ જીલ્લા પાવાગઢ યાત્રાધામ ખાતે માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ થી પાવાગઢ પર્વત વાદળોથી ઢંકાયો જેને લઈ આહલાદક દ્દશ્યો સર્જાયા હતા.

પાવાગઢ યાત્રાધામ ખાતે આજરોજ વહેલી સવારથી માવઠાની આગાહી વચ્ચે વહેલી સવાર થી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પાવાગઢ ડુંગર ખાતે વહેલી સવારે પાવાગઢ ડુંગર ઉપર વાદળની ચાદર પથરાઈ જતાં આહલાદક દ્દશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવિભકતોએ માતાજીના દર્શન કર્યા.