
પાવાગઢ, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી આસો નવરાત્રી દરમ્યાન નિજ મંદિરના દ્વાર માઈભક્તો માટે ખુલ્લા રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી ત્રણ દિવસ દરમ્યાન દર્શનના સમયમાં એક કલાકનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન બે દિવસ માટે એટલે કે એકમનું પહેલું નોરતું અને આઠમના આઠમાં નોરતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નવરાત્રીના આ બંને દિવસોની સાથે પૂનમના દિવસે પણ નિજ મંદિરના દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે એકમથી પૂર્ણિમા સુધીના અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ગ્રહણ બાદ તરત જ આશો નવરાત્રિ શરૂ થશે.14 ઓક્ટોબર, 2023ના રોજ શનિવારે રાત્રે 8:45 કલાકે સૂર્યગ્રહણ થશે. જે લગભગ 6 કલાક ચાલશે અને 2:35 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં ડ્ઢઆવતું નથી કારણ થાય છે કે, ગ્રહણના સમયે સુતક કાળ શરૂ.
આશો નવરાત્રિની શરૂઆત 14મી ઓક્ટોબરે રાત્રે 11:24 કલાકે થશે. ત્યારે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ સૂર્ય ગ્રહણની અસર નવરાત્રીની પૂજા પર પડતી નથી. નવરાત્રિમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય. કારણ કે ઘટસ્થાપનનો સમય સવારનો હશે. ઘટસ્થાપન સમયે સંપૂર્ણ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.