પાવાગઢ મંદિર ચોરીના વોન્ટેડ બે આરોપીઓને રાજકોટના જામકંડોરણા વીમલ નગરથી એલ.સી.બી.એ ઝડપ્યા

પાવાગઢ,પાવાગઢ પોલીસ મથકમાં મંંદિરમાં થયેલ ધરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ અંગે એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે રાજકોટના જામકંડોરણા વીમલનગરની ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ પોલીસ મથકમાં મંદિર થયેલ ધરફોડ ચોરીના ગુન્હામાં બે આરોપીઓ માનસીંગભાઇ બદીયાભાઇ ભાભોર (રહે. ગાંગરડી, તા.ગરબાડા), મનુભાઇ ચંદુભાઇ ઉર્ફે ચંદીયાભાઇ પરમાર(રહે. ગાંંગરડી, તા.ગરબાડા) વોન્ટેડ નાસતા ફરતા આરોી હોય આરોપીઓ અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, બન્ને આરોપીઓ રાજકોટના જામકંડોરણા વીમલનગર ખાતે મજુરી કામ કરે છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસના કર્મચારીઓ બાતમીવાળા ગામે વોચ ગોઠવી તપાસ કરતા બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પાવાગઢ પોલીસને સોંપવામાં આવ્યા છે.