પાવાગઢ જંગલમાં વડોદરાના પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ આપધાત કર્યો

હાલોલ, યાત્રાધામ પાવાગઢના જંગલમાં ઝાડ ઉપર લટકી આત્મહત્યા કરી દીધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા દિપકભાઈ મંગળભાઈની દિકરી ગોપી તેમના જ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ રમેશભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ટુંકાગાળામાં મનમેળ ન બેસતા આ યુવક-યુવતિએ છુટાછેડા લીધા હતા. છતાં છુટા છેડા બાદ પણ તેઓ સાથે રહેતા હતા. પરંતુ 6 જાન્યુઆરીના રોજ ગોપી તેના પિતાના ધરે જતી રહી હતી. ગત 9 જાન્યુ.ના રોજ સવારે ગોપી ધરેથી કંપનીમાં જાઉ છુ તેમ કહી નીકળી હતી. ત્યારબાદ તેના ફોનથી તેના ધરે મેસેજ કરી જણાવ્યુ હતુ કે, હું તમારા ધરે કે પતિના ધરે રહેવુ નથી. મને ફોન કરશો નહિ અને મારી લાશ પાવાગઢના જંગલમાંથી શોધી લેજો. તેમ મેસેજ કરી ફોન બંધ કરી દીધો હતો. જેથી તેના પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી આવી ન હતી. બીજી તરફ પાવાગઢના વિશ્ર્વામિત્રીના મુખ તરફના જંગલમમાં એક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવતા પાવાગઢ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા આ યુવક-યુવતી વડોદરાના આજવા રોડ વિસ્તારના હોવાનુ તેમજ યુવકનુ નામ દિપક તથા યુવતીના નામ ગોપી જણાઈ આવતા પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી હતી. યુવક-યુવતીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને મૃતકનુ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરાવી પરિવારજનોને સોંપ્યો હતો.