પટનાથી શક્તિ પ્રદર્શનની તૈયારીમાં નીતિશ કુમાર વિપક્ષી પાર્ટીઓ ટૂંક સમયમાં ૧૨ જૂને એક બેઠક યોજી શકે છે,બેઠક પટનામાં થઈ શકે છે.

  • નીતીશ કુમારે તમામ નેતાઓને બેઠક માટે તૈયાર રહેવાની અપીલ કરી.

પટણા, વિપક્ષી એક્તા પક્ષને મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ વખતે પાર્ટીઓને એક કરવા માટે બિહારના સીએમ નીતિશ કુમારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સામેની લડાઈને આગળ વધારવા અને તેની યોજના ઘડવા માટે વિપક્ષી પાર્ટીઓ ટૂંક સમયમાં ૧૨ જૂને એક મોટી બેઠક યોજી શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં નહીં પરંતુ પટનામાં થઈ શકે છે.

ઘટનાથી વાકેફ લોકોએ જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં તેમની પાર્ટી કાર્યાલયમાં જદયુના પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતી વખતે વિપક્ષી એક્તા દળની બેઠક વિશે જાણકારી આપી. નીતીશ કુમારે પણ તમામ નેતાઓને બેઠક માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી. અધિકારીએ કહ્યું કે આ બેઠક પટનાના જ્ઞાન ભવનમાં યોજાય તેવી પૂરી સંભાવના છે.

જેડીયુ, કોંગ્રેસ સહિત ૨૨ વિપક્ષી દળો દ્વારા રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યા બાદ બેઠકની તારીખ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિપક્ષ એ વાત પર અડગ હતો કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. વિપક્ષે દલીલ કરી હતી કે દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિએ સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારોહનું નેતૃત્વ કરવું જોઈએ.

૨૦૧૯ની ચૂંટણીમાં પણ વિપક્ષ એક્તા દળને એક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી આવતા સુધીમાં તમામ નેતાઓએ અલગ-અલગ ધૂન ગાવાનું શરૂ કરી દીધું હતું. અંતે માત્ર થોડી પાર્ટીઓ જ રહી હતી જે એક્સાથે જોવા મળી હતી. હવે જ્યારે નીતીશ કુમાર ગયા વર્ષે ઓગસ્ટમાં ભાજપ સાથે સંબંધો તોડીને આરજેડી, કોંગ્રેસ અને નાના પક્ષો સાથે બિહારમાં નવી સરકાર ચલાવી રહ્યા છે, ત્યારે તેઓ વિપક્ષી એક્તા દળને મજબૂત કરવા પર પણ નજર રાખી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પટનામાં યોજાનારી આ બેઠકમાં ૧૮ થી વધુ સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓ ભાગ લઈ શકે છે. આ બેઠકમાં વધુ આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ પછી મુખ્ય સભા પછી યોજાશે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વિપક્ષી એક્તાને મજબૂત કરવાની કવાયત તેજ થઈ ગઈ છે.

એવું કહેવામાં આવ્યું છે કે પટનામાં બેઠક યોજવાનો વિચાર પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યો હતો. એપ્રિલમાં મમતા અને નીતિશ કુમાર વચ્ચે બેઠક થઈ હતી, આ બેઠકમાં બંગાળના સીએમએ પટનામાં બેઠક યોજવાનો વિચાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જયપ્રકાશનું આંદોલન બિહારથી શરૂ થયું છે, તેથી તમામ પક્ષોની બેઠક બિહારથી થાય તો સારું રહેશે.