પશ્ચિમ બંગાળમાં હવે રદ કરાયેલા શિક્ષકોની ભરતી કેસમાં ઈડીએ ૨૨૨ લોકોની ઓળખ કરી

પશ્ચિમ બંગાળમાં હવે રદ કરાયેલા શિક્ષકોની ભરતી કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ૨૨૨ લોકોની ઓળખ કરી છે જેમની નોકરી માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ રાજ્યના શિક્ષણ વિભાગના એક અધિકારીની પૂછપરછ કરીને આ માહિતી એકત્ર કરી છે.પશ્ર્ચિમ બંગાળમાં હવે રદ કરાયેલા શિક્ષકોની ભરતી કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ૨૨૨ લોકોની ઓળખ કરી છે જેમની નોકરી માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ રાજ્યના શિક્ષણ વિભાગના એક અધિકારીની પૂછપરછ કરીને આ માહિતી એકત્ર કરી છે.

પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ૨૨૨ વ્યક્તિઓમાંથી ૧૮૩ માયમિક શિક્ષક વર્ગમાં હતા, જ્યારે બાકીના ૩૯ ઉચ્ચતર માયમિક શિક્ષક વર્ગમાં હતા. અધિકારીઓના નિવેદનના આધારે ઈડીએ આ ૨૨૨ વ્યક્તિઓના નામની યાદી તૈયાર કરી છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ઈડી અધિકારીઓએ શોધી કાઢ્યું છે કે આ ૨૨૨ વ્યક્તિઓમાંથી મોટા ભાગની નિમણૂકની ભલામણ એસપી સિંહા, જે તે સમયે પશ્ર્ચિમ બંગાળ શાળા સેવા આયોગની સ્ક્રીનીંગ કમિટીના વડા હતા. પંચે તત્કાલીન રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીના કાર્યકાળ દરમિયાન સ્ક્રીનીંગ કમિટીની રચના કરી હતી, જે હાલમાં જેલમાં છે.

નિવૃત્ત ન્યાયાધીશ રણજીત કુમાર બાગની અયક્ષતામાં રચાયેલી ન્યાયિક તપાસ સમિતિએ શોધી કાઢ્યું હતું કે સ્ક્રીનીંગ સમિતિની રચના તમામ ધોરણોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી. સિન્હાને રાજ્ય સંચાલિત શાળાઓમાં શિક્ષણ અને બિન-શૈક્ષણિક પોસ્ટ્સ પર કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીની સુવિધા માટે સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીએ કોર્ટને એ પણ કહ્યું છે કે તેના અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવેલા ૨૨૨ વ્યક્તિઓમાંથી કેટલાકે શાળાઓમાં ભરતીમાં અનિયમિતતા સામેના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એવું માનવામાં આવે છે કે ગેરરીતિઓ સામેની ચળવળને નબળી પાડવા માટે નિહિત હિતોએ તેમની ભલામણ કરી હતી.