પાણી પુરવઠા મંત્રીના હસ્તે ખેડા-આણંદ પોલીસના રૂ. 385.6 કરોડના કુલ 11 કામોનું પરીએજ તળાવ ખાતે ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું

  • નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ખેડા તથા આણંદ પોલીસલ્લાના જુથ પાણી પુરવઠા યોજના, નહેર તથા તળાવ સુધારણા કામોનું ખાતમહુર્ત-લોકાપર્ણ કરવામાં આવ્યું

નડીયાદ, જળ-સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખેડા પોલીસલ્લાના પરીએજ ખાતે ખેડા-આણંદ પોલીસલ્લાના અંદાપોલીસત રૂપિયા 385.6 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં પરીએજ તળાવના ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, આજે દેશ અને રાજ્યમાં પાણી સંબધિત વિવિધ યોજનામાં નાણાકીય જોગવાઈ ઉભી કરીને અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈ અને પીવાના પાણીની વ્યસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પરીએજ તળાવમાં ડીસીલ્ટીંગ, પાળ બાંધકામ અને ગાર્ડન નિર્માણ સહિતના બ્યુટીફિકેશનના કામોથી પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ અને પર્યટન સહિતની વ્યવસ્થાનો લોકોને લાભ મળશે. સાથે જ આગામી સમયમાં પરીએજ તળાવની માફક કનેવાલ તળાવમાં પણ ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરીના આયોજન વિશે મંત્રીએ વાત કરી હતી.

મહી સિંચાઈ વર્તુળ હેઠળ થયેલ કામગીરી વિશે જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, મહી સિંચાઈ વર્તુળ તાબા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 260 કરોડના ખર્ચે 380 કિમી લંબાઈની નહેરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. તથા હાલમાં રૂ. 3,585 લાખના કામો પ્રગતિ હેઠળ છે. જેમાં 82 કિમી લંબાઈની નહેરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નહેરો અને કાંસ ઉપર વિવિધ સ્થળોએ બ્રીજના નવીનીકરણ માટે રૂ. 3,659 લાખના ખર્ચે 25 બ્રીજના નવીનીકરણની કામગીરીના આયોજન વિશે મંત્રીએ જણાવ્યું હતું.

માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે પરીએજ તળાવના વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. સાથે જ પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ભાવિક રાઠોડ દ્વારા આ પ્રકલ્પો અને યોજનાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોનું લોકાર્પણ પૂર્ણ થતા ખેડા-આણંદ પોલીસલ્લાના વિવિધ તાલુકાના કુલ મળીને 101 ગામો અને 1 શહેરની અંદાપોલીસત 4.45 લાખની વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. જેમા ઠાસરા, ગળતેશ્ર્વર(ઉત્તર અને દક્ષિણ) જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ ઠાસરા અને ગળતેશ્ર્વર તાલુકાના લાભાર્થી ગામોમાં વ્યક્તિ દિઠ દૈનિક 100 લિટર પાણીનો લાભ મળશે. ઉપરાંત દક્ષિણ ઠાસરા – ગળતેશ્ર્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. 81.70 કરોડના કામો અને ઉત્તર ઠાસરા – ગળતેશ્ર્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. 76.59 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પોલીસલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, મહી સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર કે.સી.ચૌહાણ, પાણી પુરવઠા અધિક્ષક ઇજનેર ડાભી, મહી સિંચાઈ કાર્યપાલક ઇજનેર નિરવ ચાવડા, પોલીસલ્લા પુરવઠા અધિકારી, માતર તાલુકાના આગેવાનો સહિત અન્ય મહાનુભાવો અને માતર તાલુકાના લોકો હાજર રહ્યા હતા.