પંચમહાલ- પરપ્રાન્તિય મજુરોને બસના છાપરા પર બેસાડી મોતની મુસાફરી કરાવતા ખાનગી બસના ચાલકો,પોલીસ અને આરટીઓ વિભાગ નિદ્રામાં ? દુર્ઘટના બની જો જવાબદાર કોણ ?

ગોધરા, ગોધરા- વડોદરા હાઇવે ઉપર એમ પી રાજસ્થાન થી આવતી ખાનગી બસોના ચાલકો મજૂરી અર્થે જતા લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકાવી જાણે મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ગોધરા શહેર અને બાયપાસ રોડ પર આવા દશ્યો જાણે હવે સામાન્ય થઈ રહ્યા છે. આવી જોખમી મુસાફરી થતી હોવા છતા પોલીસ તંત્રને આ કેમ નજરે આવતુ નથી. બીજુ કે હાલમા લોકસભાની ચુટણીને લઈ વિવિધ જગ્યાઓ પર ચેકપોસ્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. ત્યારે પોલીસને આ આંખે આવતુ નહી હોય તે પણ એક સવાલ છે. જો આ રીતેથી જોખમી મુસાફરીથ કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ થઈ રહ્યા છે.

પંચમહાલ જીલ્લાને અડીને દાહોદ જીલ્લો આવેલો છે અને ત્યાથી મધ્યપ્રદેશ,રાજસ્થાન સહિતના રાજ્યોમા જઈ શકાય છે. આ રાજ્યોમાથી ગુજરાતમાં આવેલા મોટા શહેરોમાથી ખાનગી બસોની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને જે ગુજરાતમાં મજુરી કામ કરતા હોય તે લોકો અવરજવર આ ખાનગી બસોમાં કરતા હોય છે. તહેવારોનો સમય હોય ત્યારે આ બસોમા ચિક્કાર ભીડ જોવા મળે છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે ગોધરા શહેર અને બાયપાસ રોડ પરથી ખાનગી બસ ચાલકો બસની ઉપર મુસાફરો બેસાડીને ખુલ્લે આમ આરટીઓના નિયમોની એસી તેસી કરી રહ્યા છે અને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ત્યારે આ રીતેની મુસાફરી થતી વખતે કોઈ ઘટના બને તો તેના જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. તો સાથે સાથે પોલીસ અને આરટીઓ વિભાગ પણ આ રીતેની થતી મુસાફરી બાબતે ધ્યાન આપીને કાર્યવાહી કરે તે જરૂરી છે.

Don`t copy text!