પંચમહાલમાં જીલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 44019 ટકા નોંધાયું

  • જીલ્લાના બે કેન્દ્ર પૈકી એ-1 ગે્રડમાં એક વિદ્યાર્થી નહિં.

ગોધરા,પંચમહાલ જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું તેમાં 44.91 ટકા જેટલું નિરસ પરિણામ નોંધાવા પામ્યું છે. પંચમહાલ જીલ્લાના ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં એ-1 ગ્રેડમાં એકપણ વિદ્યાથી નોંધાયો નથી. એ-2 ગ્રેડ-1 વિદ્યાથી આવ્યો. ગોધરા કેન્દ્રનું પરિણામ 49.33 ટકા હાલોલ કેન્દ્રનું 39.63 ટકા જેટલું આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનુંં પરિણામ સાથે ખુશી ગમ જેવા દ્દશ્યો જોવા મળ્યા છે.

જીલ્લામાં ગોધરા કેન્દ્ર અને હાલોલ કેન્દ્ર ખાતેથી ધો.12 વિજ્ઞાન પ્રવાહ પ્રવાહની પરીક્ષા યોજવામાં આવી હતી. ગોધરા કેન્દ્ર 1207 પરીક્ષાર્થી પૈકી 1202 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હાલોલ કેન્દ્ર ખાતે 574 પરીક્ષાર્થી પૈકી 572 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જીલ્લામાં કેન્દ્ર મુજબ પરિણામ જોવા જઈએ તો ગોધરા કેન્દ્રનુંં 49.33 ટકા હાલોલ કેન્દ્રનુંં 39.63 ટકા નોંધાયું છે.