પંચમહાલ જીલ્લા બીજેપી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી એક મહિનો ચાલનાર જનસંપર્ક અભિયાનની માહિતી અપાઈ

ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરાના ગદુકપુર ખાતે આવેલી બીજેપી કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પંચમહાલ ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, સાંસદ રતનસિંહ રાઠોડ, મોરવા(હ)ના ધારાસભ્ય નિમીષાબેન સુથાર, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. અગામી એક મહિના સુધી ભાજપ સરકારના કામોને લોકો સુધી પહોંચાડવાના જનસં5ર્ક અભિયાન અંગેની જાણકારી આપવામાં આવી.