પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને વેજલપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

  • આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 22 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો.

ગોધરા, આજરોજ ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં 152 રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ-1 માં કુલ 22 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તકે મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. શાળામાં વૃક્ષારોપણ સહિત એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજાઈ હતી.

આ પ્રસંગે જીલ્લા અગ્રણી અશ્ર્વિનભાઈ પટેલ, ગામના સરપંચ, એસ.એમ.સી સમિતિના સભ્યઓ સહિત ગ્રામ્ય લોકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.