પંચમહાલ જીલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 64.67 ટકા પરિણામ આવ્યું

ગોધરા, રાજ્યમાં માર્ચ-2023માં ધો.12 સામાન્ય પ્રવા, બુનિયાદી પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આજે જાહેર થયેલ સામાન્ય પ્રવાહના પરિણામોમાં પંચમહાલ જીલ્લાનુંં 64.67 ટકા પરિણામ આવ્યું.

પંચમહાલ જીલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં 14,224 નોંધાયેલ વિદ્યાર્થીઓ હતા. તે પૈકી 14,136 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજરોજ જાહેર થયેલ પરિણામોમાં જીલ્લાનું 64.67 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 9141 વિદ્યાર્થી પાસ થયા. જ્યારે 5083 વિદ્યાર્થી નાપાસ થયા છે. જીલ્લાનું ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો એ-1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડમાં 251 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 11639 વિદ્યાર્થી, બી-2 ગ્રેડમાં 2351, સી-1 ગ્રેડમાં 2904, સી-2 ગ્રેડમાં 2142 વિદ્યાર્થી, ડી ગ્રેડમાં 314 અને ઈ-1 ગ્રેડ 3 વિદ્યાર્થી મેળવેલ છે.