
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં જેલમાં બંધ ઇમરાન ખાનની જીતની નજીક છે. ઇમરાન ખાન જેલમાં બંધ હોવા છતાં તેનો જાદુ ચાલ્યો હોવાનું આ પરિણામો બતાવે છે. ચૂંટણીમાં ધાંધલ ધમાલના તમામ આરોપો વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી સુનામીનો સામનો કરી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સંપૂર્ણ બહુમતી હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. પાકિસ્તાનની ચૂંટણીમાં સેનાએ ઈમરાન ખાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને તેમની પાર્ટીને ચૂંટણી ચિન્હ ‘મ્છ્’ પરથી હટાવી દીધી. ‘કેપ્ટન’ ઈમરાન ખાને હાર ન સ્વીકારી અને અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. હવે આ ‘અપક્ષ’ ઉમેદવારોએ નવાઝ શરીફથી લઈને બિલાવલ ભુટ્ટો સુધીની તમામની આકાંક્ષાઓને ચકનાચૂર કરી દીધી છે. પાકિસ્તાનના આ ચૂંટણી પરિણામોથી રાજકીય પંડિતો આશ્ર્ચર્યચક્તિ છે અને તેને ‘રાજકીય ભૂકંપ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તે જ સમયે, વિશ્લેષકોનું કહેવું છે કે જેલમાં હોવા છતાં, ઇમરાન ખાને પોતાના એક ‘હથિયાર’નો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો અને આર્મી ચીફ અસીમ મુનીરની તમામ ચાલને નિષ્ફળ કરી.
અહેવાલમાં સામે આવ્યું છે કે ઈમરાન ખાને જેલમાં હોવા છતાં સોશિયલ મીડિયાનો જોરશોરથી ઉપયોગ કર્યો અને આ જ તેમની જીતનું મુખ્ય કારણ બની ગયું. સોશિયલ મીડિયાના માયમથી તે જનતા સુધી પંહોચવામાં સફળ રહ્યો. તેમની પાર્ટી પીટીઆઈને પ્રચાર કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હોવા છતાં તેમની પાર્ટીએ આટલી અદભૂત જીત મેળવી એ ઇમરાનની લોકપ્રિયતા કેટલી છે તે બતાવે છે. એટલું જ નહીં ઈમરાનની નજીકના મોટાભાગના નેતાઓ હાલમાં જેલમાં છે તેમને પણ જનતાએ સમર્થન આપ્યું છે. ઇમરાન ખાનને આ જીતમાં સોશિયલ મીડિયા પર યોજાયેલી વર્ચ્યુઅલ રેલીઓથી ઘણી મદદ મળી. ઈમરાન ખાનની વર્ચ્યુઅલ રેલીઓએ તેમના નિરાશ કાર્યકરોમાં ઉત્સાહ ભરી દીધો. ઈમરાનની આઈટી ટીમે આમાં તેની મદદ કરી હતી. આ પછી ઈમરાન ખાન જેલમાં રહીને પણ સરળતાથી જનતા સુધી પહોંચી ગયા. ૧૭ ડિસેમ્બરે સ્ટ્રીમયાર્ડ દ્વારા ઈમરાન ખાનની પ્રથમ વર્ચ્યુઅલ રેલીમાં ૫૦ લાખ લોકો જોડાયા હતા. જેમાં ઈમરાન ખાનનું મોઢું બતાવતા તેનું ભાષણ વાંચવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની રાજનીતિના નિષ્ણાતનું કહેવું છે કે આ ચૂંટણી વલણો ઈમરાન ખાનના ઉમેદવારોની તરફેણમાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ આઘાતજનક છે અને એક રીતે આ રાજકીય ભૂકંપ સમાન છે. અલ જઝીરા સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘જો શરૂઆતના વલણો સાચા હોય તો, ઈમરાન ખાન જેલમાં હોવા છતાં, ચૂંટણી ચિન્હ વિના અને પ્રચારની પરવાનગી ન મળવા છતાં પીટીઆઈએ જે પ્રદર્શન કર્યું છે તે ખૂબ જ અસાધારણ છે. પીટીઆઈ સાથે જોડાયેલા અપક્ષ ઉમેદવારો વોટ મેળવે તે પીટીઆઈની તરફેણમાં છે કે નવાઝ શરીફની પાર્ટીની વિરુદ્ધ અથવા સેના વિરુદ્ધ જનતાનું પગલું છે. નવાઝ શરીફે ચૂંટણી પહેલા આવેલા રીવ્યુનો સ્વીકાર કર્યો છે અને કહ્યું કે તેઓ આ પરિણામોની સમીક્ષા કરશે.
બહુ ઓછા લોકોને ખ્યાલ હતો કે ૮ ફેબ્રુઆરીએ આવા પરિણામો આવશે. તેમણે કહ્યું કે અમે આવનારા કેટલાક સમય માટે વધુ અનિશ્ર્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાં પ્રવેશ્યા છીએ. પાકિસ્તાનમાં ૨૬૬ સીટો માટે સીધી ચૂંટણી યોજાઈ છે. હવે ઘણા વિશ્લેષકો કહે છે કે સેના આ અપક્ષો પર દબાણ લાવી શકે છે અને નવાઝ શરીફને મત આપવા દબાણ કરી શકે છે. જો કે એવો પણ અંદાજ છે કે આ અપક્ષો ઈમરાન ખાન સાથે રહી શકે છે. આ ચૂંટણી પરિણામ પાકિસ્તાની સેના માટે મોટો ઝટકો છે અને તેની સમગ્ર રણનીતિ નિષ્ફળ ગઈ છે. આર્મી ચીફે ૈંજીૈંની મદદથી ચૂંટણીને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. જો કે, હવે જનરલ અસીમ મુનીર, એક નવા પગલામાં, તમામ અપક્ષ ઉમેદવારોને તેમની પસંદગીના નેતાને મત આપવા દબાણ કરી શકે છે. આનાથી ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.