પાકિસ્તાને ટકી રહેવું હોય તો ભારત સાથે વેપાર કરવો પડશે : યુએસએના બિઝનેસમેન.

વોશિગ્ટન, પાકિસ્તાનની નેતાગીરીએ એ ભયને દૂર કરવો પડશે કે જો તે ભારત સાથેના સંબંધો સુધારશે તો તેની રાજકીય છબી ખરાબ થશે. પાકિસ્તાન-અમેરિકન મૂળના બિઝનેસમેન સાજિદ તરારએ આ વાત કહી છે. સાજીદ તરારે બંને દેશો વચ્ચે સારા સંબંધોની હિમાયત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં સાજિદ તરરે કહ્યું હતું કે ’ભારત સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માટે હવે બોલ પાકિસ્તાનની કોર્ટમાં છે. પીએમ મોદી મજબૂત નેતા છે.

સાજિદ તરારે કહ્યું કે ’અગાઉ તેઓ (મોદી) એક મોટું રાજકીય જોખમ લઈને પાકિસ્તાન ગયા હતા, જ્યારે તેઓ પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફના ઘરે ગયા હતા. આ એકદમ મોટું પગલું હતું. તેઓ એક મજબૂત નેતા છે અને હું તેમનો પ્રશંસક છું. તમને જણાવી દઈએ કે સાજિદ તરાર અમેરિકન મુસ્લિમ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક છે. તરારએ કહ્યું કે ’હું ઘણી વખત ભારત આવ્યો છું અને ભારત સાથે મારો મજબૂત સંબંધ છે. તેને ભારતમાં ઘણો પ્રેમ મળે છે. આપણે બધા સદીઓથી એક જ ઉપખંડમાં રહીએ છીએ.

પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેને કહ્યું કે ’પાકિસ્તાની નેતૃત્વએ ભારત સાથે વેપાર અને પર્યટનને વધારવા માટે મોટા પગલા ભરવા પડશે. ભારત સાથે વેપાર એ પાકિસ્તાન માટે અસ્તિત્વનો મુદ્દો છે. પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવા પડશે. અફઘાનિસ્તાન અને ઈરાનથી પણ. પાકિસ્તાને પણ ચીન સાથેના વેપારને સંતુલિત કરવાની જરૂર છે. તરારએ કહ્યું કે ’હવે આપણે નાના પગલાઓથી શરૂઆત કરવી જોઈએ અને પાકિસ્તાને સરહદ પારના આતંકવાદના મુદ્દે ભારતને વિશ્વાસમાં લેવું જોઈએ. ભારત આજે માત્ર એક પ્રાદેશિક શક્તિ નથી પરંતુ વૈશ્વિક શક્તિ તરીકે પણ ઉભરી રહ્યું છે. હું આશા રાખું છું કે ભારત પણ પોતાના તરફથી સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે.