પાછળના અરીસામાં પણ જોવું જરૂરી, તેમાં દેશને કલંક્તિ કરનારાઓ દેખાય છે : ઉપરાષ્ટ્રપતિ

નવીદિલ્હી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના નિવાસસ્થાને ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવાઓના અધિકારીઓને સંબોધિત કર્યા. અહીં તેમણે કહ્યું કે આપણે પાછળના વ્યુ મિરરમાં જોવું જોઈએ અને તે લોકો પર ધ્યાન આપવું જોઈએ જેઓ દેશની સંસ્થાઓને કલંક્તિ અને બરબાદ કરી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિના આ સંબોધનને રાહુલ ગાંધીના નિવેદન પર ટોણો મારવામાં આવી રહ્યો છે. હકીક્તમાં રાહુલ ગાંધીએ રવિવારે અમેરિકામાં કહ્યું હતું કે પીએમ મોદી રિયર વ્યૂ મિરરમાં જોઈને દેશની કાર ચલાવી રહ્યા છે. તેઓ માત્ર પાછળની તરફ જોતા હોય છે અને પછી આશ્ર્ચર્ય થાય છે કે અકસ્માતો પછી અકસ્માતો કેમ થઈ રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિએ અધિકારીઓને કહ્યું કે તેમને પાછળના વ્યૂ મિરરમાં જોયા પછી ખબર પડશે કે ક્યા લોકો દેશ પ્રત્યે સારું વર્તન નથી કરી રહ્યા. અકસ્માત કરવા જઈ રહેલા લોકોને ટાળવા માટે પાછળના વ્યૂ મિરરમાં જુઓ.

ધનખડે કહ્યું કે, કેટલાક કન્ફ્યુઝ્ડ લોકો દેશની ક્ષમતા અને સિદ્ધિઓને લઈને મૂંઝવણમાં રહે છે. તેઓ તેમાં ગર્વ લેતા નથી. દેશ-વિદેશમાં બેઠેલા કેટલાક લોકો અમને તપાસવાની કોશિશ કરી રહ્યા હતા. અમે તેમને આ માટે પરવાનગી આપી શકીએ નહીં.

ધનખડે કહ્યું કે ભારત ૨૦૪૭ સુધીમાં વિશ્ર્વનો નંબર વન દેશ બની જશે. તેમણે અધિકારીઓને કહ્યું- તમે લોકો ઈતિહાસનો બોજ ન ઉઠાવો, તે તમારા વિકાસમાં અવરોધ બની જશે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કેટલાક લોકો ભારતની સફળતાને પચાવી શક્તા નથી કારણ કે આપણો દેશ શાંતિ અને સ્થિરતામાં વિશ્ર્વાસ રાખે છે. ભારતીયો નવા કૌશલ્યો શીખવામાં સારા છે. સેલ્ફ લર્નિંગ અને સેલ્ફ સ્કિલિંગને કારણે અમને આ સફળતા મળી છે. આપણને આપણી સફળતાઓ પર ગર્વ હોવો જોઈએ.