નોકર સાથે બાઇક પર જઈ રહેલા એનઆરઆઇની ગળું દબાવી હત્યા

લુધિયાણા, પંજાબના લુધિયાણામાં એક એનઆરઆઇની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. થાણા સદરના ઠાકુર કોલોની વિસ્તારમાં સોમવારે રાત્રે ૧૨ વાગ્યે પોતાના નોકર સાથે બાઇક પર ઘરે જઈ રહેલા એનઆરઆઇ બરિન્દર સિંહ (૪૨) પર હુમલો કરવામાં આવ્યો હતો.

થાણા લલતો કલાના પ્રભારી રવિન્દર કુમારે જણાવ્યું કે બરિન્દર તેના નોકર સાથે ફાર્મ હાઉસથી લલ્ટો સ્થિત ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં બે બાઇક સવારોએ તેને અટકાવ્યો હતો. બંનેના ચહેરા ઢાંકેલા હતા. આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દ્ગઇૈંને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને ડીએમસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બરિન્દરના નોકરને પણ કેટલીક ઈજાઓ થઈ છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસનું માનવું છે કે એનઆરઆઈનો મોબાઈલ અને રોકડ તેની પાસે હોવાથી દુશ્મનાવટના કારણે હત્યા થઈ છે. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.