નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું

  • સંત નિરંકારી મિશન શરૂઆત કરી રહ્યું છે ’અમૃત પરિયોજના’ સ્વચ્છ જળ-સ્વચ્છ મનના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં દોઢ લાખથી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો..

ગોધરા,સંત નિરંકારી મિશન દ્વારા સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં 25 ફેબ્રુઆરીના રોજ આજથી સ્વચ્છ જળ-સ્વચ્છ મન નો શુભારંભ કરવામાં આવ્યો હતો .

આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્નીત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગરૂકતા અભિયાન ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ 25 ફેબ્રુઆરી, આજ રોજ સવાર ના 8 વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપ્યો સાથે સાથે ગુજરાત રાજ્યમાં 100 થી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ 13 જળ સંસાધનો પર સફાઈ અભિયાન ચલાવી અને જન માત્રને “સ્વચ્છ જલ સ્વચ્છ મન” સંદેશ આપવામાં આવ્યો હતો.

બાબા હરદેવસિંહ જી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહ જી મહારાજની શિક્ષાઓ થી પ્રેરણા લઇ દરેક વર્ષ ની જેમ જ આ વર્ષે નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરૂ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર સ્વચ્છ જળ સ્વચ્છ મન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ગોધરા ના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી.

સંત નિરંકારી મિશનના સચિવ જોગીન્દર સુખીજાજી ના હવાલાથી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષ ના લગભગ 1500 થી વધુ સ્થળો પર 900 શહેરો, 27 રાજ્યો અને કેન્દ્ર્શાષિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં નિરંકારી મિશનના લગભગ બે લાખ થી પણ વધુ સ્વયંસેવકો નાં સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર, જોહ્ડ, ભિન્ન ઝરણાઓ, પાણી ની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ બનાવા માં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો

અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજીકા બહેન વિધ્યાદેવીજી એ જાહેર જનતાને અપીલ કરી કે, “સ્વચ્છ જળ સ્વચ્છ મન”ની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરીએ અને ગોધરા શહેર ને સુંદર બનાવીએ.