નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઇએ ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (નીટ યુજી)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ કરી છે.

સીબીઆઈએ આ કેસમાં પટેલના રિમાન્ડ મેળવવા પંચમહાલ જિલ્લા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે કેસ સીબીઆઈની વિશેષ અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેના પગલે સીબીઆઈએ અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સીબીઆઈએ શનિવારે મોડી રાત્રે દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. કલાકો અગાઉ પંચમહાલ જિલ્લા અદાલતે ચાર આરોપીઓ  તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા, વિભોર આનંદ અને આરીફ વોરાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા  જેને પહેલા પંચમહાલ જિલ્લાના શિક્ષા અધિકારી એ ૮ મે એ નોંધેલી એફઆઇઆરમાં ગોધરા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

સીબીઆઈએ જય જલારામ સ્કૂલના ચેરમેન પટેલનું નિવેદન ૨૭ જૂને નોંયું હતું, જ્યારે તેમણે ગોધરાના પરવડી અને ખેડા જિલ્લામાં એક જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બે કેન્દ્રોની મુલાકાત લીધી હતી. રિમાન્ડ અરજીમાં સીબીઆઇએ કહ્યું છે કે પટેલ પર “આરોપીઓ સાથે સંપર્કમાં હોવાની શંકા છે, જેઓ પહેલાથી જ કેસમાં છે અને ગેરરીતિઓથી વાકેફ હતા”. પટેલ ગોધરા કેન્દ્રમાં નીટ યુજી ગેરરીતિઓમાં પકડાયેલો છઠ્ઠો આરોપી છે. સીબીઆઈએ પાંચમા ધરપકડ કરાયેલા આરોપી  પરશુરામ રોય, ઈમિગ્રેશન એજન્ટ અને રોય ઓવરસીઝના માલિકની કસ્ટડી માંગી ન હતી. ગુરુવારે, સીબીઆઈએ ગુજરાતના ઓછામાં ઓછા છ સ્થાનિક વિદ્યાર્થીઓના નિવેદનો રેકોર્ડ કર્યા હતા. જેમણે કેન્દ્રમાં નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈએ શાળાના માલિક દીક્ષિત પટેલ તેમજ ગોધરામાં આવેલી શાળાના અન્ય કર્મચારીઓ અને ખેડા જિલ્લાના પડલમાં આવેલી તેની બીજી શાળાના નિવેદનો પણ નોંયા હતા. બુધવારે ૫ મેના રોજ કથિત નીટ યુજી ગેરરીતિઓની તપાસના ભાગરૂપે સીબીઆઇની વિશેષ ટીમે બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી.