નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના વિધાર્થી સંઘ દ્વારા કોલેજમાં શિક્ષક દિન ઉજવણીના ભાગરૂપે કોલેજમાં સ્વશાસન દિવસનું આયોજન તા.05-09-2024 કરેલ હતું. જેમાં 34 વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં આચાર્ય તરીકેની જવાબદારી સંગાડા વીધ્યાની એ નિભાવી હતી અને બીજા વિધાર્થીઓએ પણ શિક્ષકની જવાબદારી નિભાવીને શૈક્ષણિક કાર્ય કરેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ પ્રોત્સાહન આપીને આયોજનને બિરદાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ વિધાર્થી સંઘના ર્ડા. વી.જે.ચૌહાણ, શિખા મોઢીયા, ભૂમિ તીલવાણી અને ધ્રુવી પટેલની આગેવાની હેઠળ થયેલ હતો. કોલેજના તમામ વિભાગના વડા અને સ્ટાફ સભ્યો એ પણ ઉત્સાહપૂર્વક મદદરૂપ થઈને સહકાર આપેલ હતો.