મહિસાગર, પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્ર્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્યસુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડા પ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્ર્વમાં તારીખ 21મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.21/06/19 ના ઠરાવથી “ગુજરાત રાજય યોગ બોર્ડ ” ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબ જ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાનું હોય, IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે લોકોમાં યોગ અંગેની જાગૃતતા આવે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળે અને તે થકી લોકો યોગ સાથે જોડાય અને યોગ કરતા થાય તે માટે તા.28-05-2023ના રોજ સવારના 06-00 થી 08-00 કલાક દરમિયાન ઈન્દીરા મેદાન કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તમામ મહિસાગર વાસીઓને ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે.