![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2024/01/th-1-15.jpg)
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે તેમના ધર્મે તેમને એવા પૂજા સ્થળને સ્વીકારવાનું શીખવ્યું નથી જે નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો પર બનેલું હોય. લોક્સભાના સભ્ય અભિષેકે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની પૂર્વ સંયાએ ’ઠ’ પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે કહ્યું, મારા ધર્મે મને એવા પૂજા સ્થળે ભલે તે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારા હોય, પરંતુ જે નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ હોય તે સ્વીકારવાનું શીખવ્યું નથી.આ સાથે જ રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (ટીએમસી)એ કહ્યું કે જ્યારે દેશ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, ત્યારે અભિષેક બેનર્જીએ આવું નિવેદન આપ્યું છે.