મોદી હિન્દુઓમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ફારૂક અબ્દુલ્લા

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં લોક્સભા ચૂંટણી પ્રચાર દરમિયાન નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોદી હિન્દુઓમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે જ્યારે તેઓ ૨૦૧૪માં આવ્યા હતા ત્યારે તેઓ એલપીજીના ભાવનો મુદ્દો ઉઠાવતા હતા. તે સમયે તેની કિંમત ૪૦૦ રૂપિયા હતી.પરંતુ આજે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ગાયબ છે. દસ વર્ષ વીતી ગયા અને હવે તમે જુઓ ગેસ સિલિન્ડરની કિંમત શું છે. તે હવે ૧૧૦૦ રૂપિયા છે. ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાંધણ તેલના ભાવમાં વધારો થયો છે, શાકભાજી, મટન વગેરે બધું મોંઘું થયું છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓએ સ્માર્ટ મીટર લગાવ્યા છે જે વીજળી ન હોય ત્યારે પણ કામ કરે છે. હિંદુઓમાં ડર પેદા કરવા માટે તેઓ તેમને કહી રહ્યા છે કે તમારું મંગળસૂત્ર છીનવી લેવામાં આવશે અને મુસ્લિમોને પૈસા આપવા માટે વેચવામાં આવશે. શું આપણે એટલા દલિત છીએ કે આપણે આપણી માતાઓ અને બહેનો પાસેથી મંગળસૂત્ર છીનવી લઈશું? ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું મારા લોહીથી લેખિતમાં આપું છું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થઈ શકે.