મતદાનને ગણતરીના જ દિવસો બાકી હોવા છતાં હિજરત કરવા ગરબાડા પંથકના લોકો મજબૂર

ગરબાડા,

ગરબાડામાં ભૂતકાળમાં અનેક કદાવર અને પ્રભુત્વ ધરાવતા નેતાઓ રાજ કરી ચૂક્યા હોવા છતાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તે સમસ્યાનો અંત લાવવામાં સૌ નેતાઓનો પનો ટૂંકો પડ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે હાલમાં લોકશાહીના પર્વને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે પંથકના લોકો હિજરત કરતા જોવા મળી રહ્યા છે. જાણે તેમને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા જ નથી, તેમ લાગી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો હિજરત કરતા જોવા મળી રહ્યા છે.

Don`t copy text!