માતા સીતાની સુંદરતા જોઈને શ્રીરામ અને રાવણ બંને પાગલ થઈ ગયા હતા : રાજસ્થાનના મંત્રી ગુડા

ઝુંઝુનુ, સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગુડા પોતાના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. મંગળવારે ઝુંઝુનુના ઉદયપુર વાટીમાં એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે કહ્યું કે માતા સીતાની સુંદરતા જોઈને શ્રીરામ અને રાવણ બંને પાગલ થઈ ગયા હતા. અહીં તેણે પોતાની સરખામણી માતા સીતા સાથે કરી અને કહ્યું કે આજકાલ ગેહલોત અને પાયલોટ બંને મારી પાછળ દોડી રહ્યા છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મંત્રી ગુડાએ જણાવ્યું હતું કે માતા સીતાના સૌંદર્યની કલ્પના પણ કરી શકાતી નથી. તેના આકર્ષણને કારણે શ્રીરામ અને રાવણ જેવા અદ્ભુત લોકો પાગલ થઈ ગયા. એ જ રીતે, આજકાલ ગેહલોત અને પાયલોટ પણ મારી પાછળ દોડી રહ્યા છે, ચોક્કસ મારામાં કોઈ ગુણવત્તા હોવી જોઈએ.

ગુડાએ વધુમાં જણાવ્યું હતું કે આજકાલ લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ વખતે ગુડાને કઇ પાર્ટીમાંથી ટિકિટ મળશે. હું તે લોકોને કહેવા માંગુ છું કે મારા ર્ક્તવ્યના આધારે મને કોઈ પાર્ટીના સિમ્બોલ પર નહીં પણ મારા ચહેરા પર વોટ મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના લોકો ક્યારેક હિંદુ-મુસ્લિમના નામે તો ક્યારેક મંદિર-મસ્જિદના નામે વોટ માંગે છે. તો ક્યારેક મોદી-યોગીના નામે વોટ માંગી રહ્યા છે.

આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ એ પાર્ટી છે જેણે દેશને આઝાદ કર્યો, તેઓ તેમના નામે વોટ માંગે છે. પરંતુ રાજેન્દ્ર ગુડા તેમના કાર્યો અને તેમના ચહેરા પર મત માંગે છે, તેમને કોઈ ટિકિટની જરૂર નથી.