મણિપુરના ૫ જિલ્લામાં કર્ફ્યુ સમાપ્ત, અન્ય જિલ્લાઓમાં થોડા કલાકો માટે છૂટછાટ આપવામાં આવી છે

ઇમ્ફાલ, હાલમાં મણિપુરના ૫ જિલ્લામાં કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ થોડા કલાકો માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે તે જોતા લોકોને કર્ફ્યુમાંથી રાહત આપવામાં આવી છે.આ પહેલા ૨૬ મેના રોજ પૂર્વ અને પશ્ર્ચિમ મણિપુરમાં સવારે ૫ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ૭ કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. સૂચનાઓ અનુસાર, લોકોને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ અને ખાદ્યપદાર્થોની ખરીદી માટે તેમના ઘરની બહાર આવવાનો સમય આપવામાં આવ્યો હતો.

અગાઉ ૨૬ મેના રોજ પૂર્વ અને પશ્ર્ચિમ મણિપુરમાં સવારે ૫ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ૭ કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. સૂચનાઓ અનુસાર, લોકોને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ અને ખાદ્યપદાર્થોની ખરીદી માટે તેમના ઘરની બહાર આવવાનો સમય આપવામાં આવ્યો હતો.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ૩ મે, ૨૦૨૩ ના રોજના આ ઓફિસ ઓર્ડર દ્વારા, ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં કુલ જનતા કર્ફ્યુ ઝ્રિઁઝ્ર, ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ૨૬ મેથી સવારે ૫ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવે છે. . જે વિસ્તાર માટેનું શેડ્યૂલ નીચે આપવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનતાને દવાઓ અને ખાદ્ય પુરવઠા સહિત આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીમાં સુવિધા મળી શકે.

હવે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાને કારણે ૫ જિલ્લામાંથી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને અન્ય સ્થળોએ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. લોકોને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી અને સત્તાવાર કામ સિવાય અન્ય કોઈ હેતુ માટે ભેગા થવા દેવામાં આવશે નહીં.