માનહાનિના કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે કેસ રદ કરવાની માગણી ફગાવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે, જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની અદાલતે મુખ્યમંત્રી વિરુદ્ધ માનહાનિના કેસની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બર દ્વારા શરૂ કરાયેલ માનહાનિના કેસને પડકારતી કેજરીવાલની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

અરવિંદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલા માનહાનિના કેસને રદ કરવાની વિનંતી કરી હતી. આ પછી કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી હતી. હવે હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી દારૂ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિસેમ્બર ૨૦૧૮માં ટ્વિટ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો -૦ કે દિલ્હીમાં અગ્રવાલ સમુદાયના કુલ ૮ લાખ મતદારો છે. તેમાંથી ભાજપને લગભગ ૪ લાખ લોકોના મત કપાયા છે. એટલે કે ૫૦ ટકા નામો કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે આજ સુધી આ સમુદાય ભાજપનો કટ્ટર મતદાર હતો. આ વખતે તેઓ નોટબંધી અને જીએસટીના કારણે નારાજ છે, તેથી ભાજપે તેમના વોટ કાપી નાખ્યા.

આ પછી બીજેપી નેતા રાજીવ બબ્બરે સીએમ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનું નિવેદન ભાજપની વિશ્ર્વસનીયતાને નુક્સાન પહોંચાડે છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૧૬ જુલાઈ ૨૦૧૯ના રોજ અરવિંદ કેજરીવાલને આ કેસમાં જામીન આપ્યા હતા.