મહીસાગર જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારાવસ્તી નિયંત્રણ, કુટુંબમાં જનજાગૃતિ કેળવવા 4 તબક્કામાં કાર્યક્રમો યોજાશે.

  • લઘુ શિબિર ,ઘરે ઘરે મુલાકાત, રેલી તથા અન્ય IEC કાર્યક્રમ યોજી વિશ્વ વસ્તી દિન ઉજવાશે.

મહિસાગર, 11 જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તાલુકા,જીલ્લા અને રાજ્ય કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.મહીસાગર જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જીલ્લામાં આવેલ તાલુકા (સોશ્યલ બિહેવિયર ચેન્જ કમ્યુનીકેશન) એસબીસીસી ટીમના સુપરવિઝન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એસબીસીસી ટીમના આયોજન અન્વયે વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સ્લોગના હેઠળ આ વર્ષે ચાર તબક્કામાં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતીઓ સાથે સંવાદ,વધતી જતી વસ્તીથી ઊભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી લગ્ન તથા બાળક માટે નિયત કરેલી ઓછામાં ઓછી ઉંમર, બે બાળકો વચ્ચે જરૂરી સમયગાળો,નસબંધી તથા અન્ય આધુનિક કુટુંબ નિયોજન સેવાઓ વગેરે બાબતોની જાણકારી અપાશે. બાળ તથા માતા મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.

1 જૂનથી શરૂ થનાર પ્રથમ તબક્કા દરમ્યાન પ્રચાર પ્રસાર અંગેની સામગ્રી તૈયાર કરી અને વિતરણ, સ્વયંસેવકોની તાલીમ, આંતર- ક્ષેત્રિય કનવર્જંન્સ,જાગૃતિ અને પ્રચાર કરવામાં આવશે. બીજા તબક્કામાં તા. 27 જૂનથી 10 જુલાઈ દરમ્યાન કુટુંબ નિયોજન મહત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરીસંવાદોનું, ઘરે-ઘરે મુલાકાતો, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, રોડ શો, દરેક ગામમાં બેનર પોસ્ટર લગાવવા,ભીતસુત્રો અને હોડીંગ્ઝ લગાવવા જેવા આયોજનો કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં તા. 11 થી 24 જુલાઈ દરમ્યાન સેવાઓ પુરી પાડવા અંગેનું પખવાડિયું તરીકે ઉજવાશે. જેમાં ગર્ભનિરોધક કુટુંબ નિયોજન સેવાઓ પુરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.