
- દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમહિસાગર દ્વારા જીલ્લા પ્રાન્તઅધિકારીને આપ્યુ આવેદન પત્ર.
9 જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ઘોડી જતી વખતે, ક્રૂર પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 10 નિર્દોષ હિંદુ યાત્રીઓ માર્યા ગયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો હતો. આ ક્રૂર દુષ્કર્મથી દેશ દુ:ખી છે અને તીવ્ર આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે. જે વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ માર્યા ગયેલા હિંદુ યાત્રિકોને શ્રદ્ધાંજલિ આપે છે.
આવી આતંકી પ્રવૃતિ કરનાર સાથે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જેના સદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું અને લુણાવાડા પરશુરામ ચોક ખાતે આતંકવાદનું પૂતળા દહન કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યના જીલ્લા ઓમા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.