મહીસાગર જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.25 જુલાઈ ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજાશે

મહિસાગર જીલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જીલ્લાના તમામ તાલુકા માટે જુલાઈ-2024નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.24/07/2024 બુધવારના રોજ સવારે 11:00 કલાકે તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.25/07/2024 ને ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજવાનો હોય માહે જુલાઈ-2024માં જીલ્લા અને તાલુકાઓમાં વર્ગ -1 કક્ષાના અધિકારીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે,

ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/ રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા અથવા જીલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/ મંત્રીને સંબોધીને 1 થી 10 તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.10/07/2024 સુધીમાં મળેલ અરજીને તાલુકા તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે.

જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે.તેમ નિવાસી અધિક કલેકટર મહિસાગર-લુણાવાડાની અખબારી યાદીમા જણાવેલ છે.