મહિસાગર જીલ્લા પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારની ઉપસ્થિતિમાં મફત સર્વરોગ આયુર્વેદિક/હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

  • મહીસાગર જીલ્લા પંચાયત કચેરી ખાતે ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન કરવામાં આવ્યું.

મહિસાગર,રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-2023 8મો આયુર્વેદ દિવસની ઉજવણી ના ભાગરૂપે આયુર્વેદ ફોર વન હેલ્થ” વિષય પર આયુર્વેદ ફોર એવરી વન ફોર એવરી ડે (હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ) થીમ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક, આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જીલ્લા વિકાસ અધિકારી મહીસાગરનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત કચેરી મહીસાગર દ્વારા આયોજીત મફત સર્વરોગ આયુર્વેદિક/હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ “મહીસાગર જીલ્લા પંચાયત ખાતે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે ધનતેરસના દિવસે ધન્વંતરી પૂજન કરી ખુલ્લો મૂક્યો હતો.

આ મેળાનો લાભ જીલ્લા પંચાયત કચેરી મહીસાગર, કલેકટર કચેરી મહીસાગર, પોલીસ અધિક્ષકની કચેરી મહીસાગર, મામલતદાર કચેરી લુણાવાડાનાં તમામ અધિકારીઓકર્મચારીઓ માટે તથા નાગરિકો માટે આયોજન કરવામાં આવેલ છે, જેનો દરેક અધિકારીઓએ, કર્મચારીઓએતથા નાગરિકોને લાભ લેવા જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે અપીલ કરી.

આ કેમ્પમાં શરીરની તમામ બિમારીઓ તથા તમામ પ્રકારના જુના હઠીલા રોગો જેમ કે કબજીયાત, એસીડીટી, જુનો તાવ, સર્દી, દમ, ખાંસી, ખસ, ખરજવું કમરનો દુખાવો, માસિકમાં તકલીફ તથા વ્યધત્વ જેવા શરીરના તમામ રોગોની આયુર્વેદિક/હોમીયોપેથીક પધ્ધતી દ્વારા સંપૂર્ણ મફત નિદાન કરી મફત દવા આપવામાં આવશે તથા આયુર્વેદને લગતા ચાર્ટનું પદર્શનનું આયોજન કરવામાં આવેલ છે રોગપ્રતિકારક શક્તિવર્ધક, અમૃતપેય, આયુર્વેદીક ઉકાળો તથા સંશમની વટી તથા આર્ગેનીક આલ્બમ-30નું મફત વિતરણ કરવામાં આવશે.

આ મેળામાં જીલ્લા આયુર્વેદ અધિકારી રણજીતસિંહ નિનામા સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી તબીબો સહિત કર્મચારીગણ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.