મહીસાગર જીલ્લામાં મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા ન હોય એવા ચૂંટણી લક્ષી સામગ્રી છાપી શકાશે નહીં

મહીસાગર,ચૂંટણીને ધ્યાને લઇ મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા રજુ થયેલ હુકમ મુજબ કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોંપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહી, કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શક્શે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખા કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રકની એક નકલ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતુ હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કઢાવવાની કોઇ પણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.

છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા, અને ફોન/મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે, મુદ્રક પ્રકાશક પાસેથી મેળવેલી એકરાર પત્રક જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીએ તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએ રજુ કરવાનું રહેશે