મહેલોલમાં આચાર્ય શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 546મો પ્રાગટ્ય ઉત્સવ ઊજવાયો

કાલોલ,પુષ્ટિ માર્ગ પ્રવર્તક, અખંડ ભૂમંડલાચાર્ય, જગદ્ ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય આચાર્ય શ્રીમહાપ્રભુજીના 546મો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામિર્ક વાતાવરણમાં આનંદ ઉલ્લાસમાં રવિવાર તા. 16-04-23 ના રોજ વૈષ્ણવ જનોની ઉપસ્થિતિમાં મહેલોલ વૈષ્ણવ મંદિરમાં ઊજવવામાં આવ્યો. સવારે પાંચ કલાકે વૈષ્ણવ જનો દ્વારા પ્રભાત ફેરી શ્રી મહાપ્રભુજીના જય ઘોષ બાદ મંત્ર ધૂન સાથે કરતાલ ધ્વનિ થી યોજાઈ. શ્રી ઠાકોરજીના પલના, ફૂલમંડળી, મનોરથ પછી રાજભોગ દર્શનમાં તિલક, આરતી બાદ સૌ વૈષ્ણવજનોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી. ઉપસ્થિત સૌ કીર્તનકારો અને મહિલા મંડળની બહેનોએ આજના મહોત્સવનો અલૌકિક અલભ્ય અવસરમાં આનંદની અનુભૂતિનો અહેસાસ થયો હતો. સવારે મહિલા મંડળ દ્વારા મંદિરમાં આચાર્ય શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.