પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવશે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણની કામના કરશે.આજે સીએમ યોગી અને ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં ડૂબકી લગાવી. ગંગાની પૂજા કરી અને આરતી કરી. આ પછી, તેમણે અક્ષયવટ ધામ અને લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી હતી.
યોગી અને ભુતાનના રાજા લખનઉથી વિમાન દ્વારા બામરૌલી એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી સડક માર્ગે મહાકુંભ પહોંચ્યા. અરેલ ઘાટથી હોડીમાં બેઠા અને સંગમ પહોંચ્યા અને સ્નાન કર્યું. આ દરમિયાન, ભુતાનના રાજાએ સીએમ યોગી સાથે પક્ષીઓને ચણ નાખી. તેમણે ફોટો પણ પડાવ્યો.
પીએમના આગમનને લઇને યોગી હેલિપેડથી અરેલ અને સંગમ નોઝ સુધીની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.અહીં, પ્રયાગરાજ પોલીસે 29 જાન્યુઆરીએ થયેલી ભાગદોડ સંબંધિત અફવા ફેલાવવાના આરોપમાં 8 લોકો સામે કેસ નોંધ્યો છે. તેમણે પોતાના X એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વીડિયો અને ફોટા અપલોડ કર્યા હતા.
મહાકુંભમાં અત્યાર સુધીમાં 37 કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. ગઈકાલે એટલે કે વસંત પંચમીના દિવસે 2.33 કરોડ લોકોએ સ્નાન કર્યું. આજે મહાકુંભનો 23મો દિવસ છે. તેની શરૂઆત 13 જાન્યુઆરીથી થઈ હતી. વસંત પંચમી સાથે, મહાકુંભના ત્રણ અમૃત સ્નાન પૂર્ણ થયા છે. હવે 3 સ્નાન પર્વ છે જેમાં ભક્તો સ્નાન કરશે.
બેરિકેડિંગ અંગે બોલાચાલી, પોલીસકર્મીએ વકીલને માર માર્યો
મંગળવારે, સીએમ યોગીની પ્રયાગરાજ મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસે હિન્દુ હોસ્ટેલ ક્રોસિંગ પર બેરિકેડ લગાવી રસ્તો બંધ કરી દીધો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વકીલનો આ બાબતે પોલીસકર્મીઓ સાથે ઝઘડો થયો અને એક પોલીસકર્મીએ વકીલને માર માર્યો.
આ અંગે માહિતી મળતાં જ અન્ય વકીલો ત્યાં પહોંચી ગયા. તેઓ રસ્તા પર બેસી ગયા અને જામ કરી દીધો. બાદમાં કોઈક રીતે પોલીસે વકીલોને ત્યાંથી દૂર કર્યા. પ્રત્યક્ષદર્શી વકીલ આદિત્ય રાજ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વકીલો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.
નરસિંહાનંદ ગિરીએ લોહીથી સીએમ યોગીને પત્ર લખ્યો
શ્રી પંચદશનમ જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીએ સીએમ યોગીને લોહીથી પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે- મૌની અમાવાસ્યા પર હિન્દુઓ પ્રત્યે અસંવેદનશીલ અધિકારીઓના અમાનવીય વર્તનથી મને આ પત્ર લખવાની ફરજ પડી. આ ઘૃણાસ્પદ અને અત્યંત સ્વાર્થી અધિકારીઓ તમને કેવી રીતે મૂર્ખ બનાવી શકે છે.
આ મારા માટે ખૂબ જ પીડાદાયક અને પરેશાન કરનારું છે. પણ આ મારી ચિંતાનો વિષય નથી. તેના બદલે, તે એક મહાવિનાશ છે જે ઝડપથી હિન્દુ સમાજ તરફ આવી રહ્યો છે. આ એ મહાવિનાશ છે જેનાથી બચવા માટે હિન્દુઓએ પીએમ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા અને તમને મુખ્યમંત્રી.
આ મહાવિનાશના ડરને કારણે આજે ભારતના મોટાભાગના હિન્દુઓ તમને ભારતના વડાપ્રધાન બનાવવા માંગે છે. મુસ્લિમોની વધતી જતી વસ્તીના રૂપમાં આ મહાવિનાશ હિન્દુ સમાજ સમક્ષ આવી ચૂક્યો છે.
આજે હિન્દુ સમાજ મુસ્લિમોથી ડરવા લાગ્યો છે. આવી સ્થિતિમાં, હિન્દુ સમાજના મોટાભાગના લોકો તમને ફક્ત તેમના રક્ષક તરીકે જુએ છે. અમે બધા તમને સનાતન ધર્મ અને હિન્દુ સમાજના એકમાત્ર રક્ષક માનીએ છીએ. કોઈપણ ધાર્મિક હિન્દુને તમારા ધર્મ પ્રત્યેની તમારી ભક્તિ અને શાણપણ પર કોઈ શંકા નથી, પરંતુ તમારા ભ્રષ્ટ અધિકારીઓ પરનો તમારો વિશ્વાસ હિન્દુઓની આશાઓ પર પાણી ફેરવી રહ્યો છે.
આ અધિકારીઓ તમને હિન્દુઓની નજરમાં ખલનાયક બનાવવા માટે હિન્દુ સમાજને દરેક રીતે હેરાન કરી રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચારની બધી મર્યાદાઓ તોડી નાખી છે.