
ભારતના લોકો આર્થિક રીતે બેજવાબદારીભરી નીતિઓની સમસ્યાથી વધુને વધુ જાગૃત થઈ રહ્યા છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીકંટ્રોલ ડોટ કોમ સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ નિવેદન દેશમાં ફ્રીબી કલ્ચર પરના તેમના તાજેતરના શાબ્દિક ચાબખા તરીકે જોવામાં આવે છે.
“આ માહિતીનો યુગ છે, એક દેશમાં દેવાની કટોકટી વિશેના સમાચાર અન્ય ઘણા દેશોમાં તરત પહોંચી જાય છે. લોકો પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે અને જાગૃતિ ફેલાઈ રહી છે. આ અન્ય દેશો માટે લોકોના સમર્થન સાથે, તેમના પોતાના દેશોમાં સમાન પરિસ્થિતિને ટાળવા માટે સાવચેતીનાં પગલાં લેવા માટે મદદરૂપ છે.” પીએમ મોદીએ કહ્યું.
વડાપ્રધાને વારંવાર કહ્યું છે કે મફતની પોલિસીના કારણે રાજ્યો દેવામાં ડૂબી રહ્યા છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ અને સરકારોને આ રીતે ચલાવી શકાય નહીં.
તેમણે આગળ કહ્યું કે “આપણા દેશમાં પણ બહુવિધ પ્લેટફોર્મ પર, મેં નાણાકીય રીતે બેજવાબદાર નીતિઓ સામે સાવધ રહેવાની જરૂરિયાત વિશે વાત કરી છે. આવી નીતિઓના લાંબા ગાળાની અસરો માત્ર અર્થતંત્રને જ નહીં પરંતુ સમાજને પણ નષ્ટ કરે છે. જ્યારે આ નીતિઓની હકીકતમાં ગરીબો જ ભારે કિંમત ચૂકવે છે.” તેમણે moneycontrol.com ને કહ્યું કે, “જોકે સારી વાત એ છે કે લોકો સમસ્યા વિશે વધુને વધુ જાગૃત થઈ રહ્યા છે.”
ગયા મહિને સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં, પીએમ મોદીએ રાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહેલી “ફ્રીબીઝની સંસ્કૃતિ” સામે લાવ્યા અને કહ્યું કે તેઓ એવો દેશ ઇચ્છે છે જેની અર્થવ્યવસ્થા નબળી હોય.
તેમણે કહ્યું, “તેઓ ચૂંટણીમાં લોકોને અવાસ્તવિક વચનો આપે છે અને રાજ્યોમાં વિકાસ કાર્યક્રમો બંધ કરવામાં આવે છે. તેઓ ભારતની નાદારી, ડૂબતી અર્થવ્યવસ્થા, બે આંકડાનો ફુગાવો, નીતિગત લકવો, અસ્થિરતા, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, વંશિય રાજનીતિ, બેરોજગારી, આતંકવાદ અને હિંસા અને ભારતને બે દાયકા પાછળ લઈ જવાની ગેરંટી છે.”