લુણાવાડા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે યોજાશે

મહિસાગર,લુણાવાડા તાલુકા કક્ષાએ પ્રશ્ર્નો માટે લોકોએ તેમની ફરીયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવુના પડે તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે.

નાગરીકોના પ્રશ્ર્નો અસરકારક અને ન્યાયીક રીતે હલ થાય તે માટે નાયબ કલેક્ટર પ્રાંત- લુણાવાડાના અધ્યક્ષ સ્થાને મે- માસના તા.24/05/2023ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રજૂ કરવાના તાલુકા કક્ષાના પ્રશ્ર્નો-ફરીયાદો તા.15/05/2023 સુધીમાં મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે રજૂ કરવાના રહેશે.